ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ગુરુકુલ શાળા ખાતે વિજ્ઞાનમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું.
અંકલેશ્વર શહેરની જીઆઇડીસી સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કુલ ખાતે તારીખ 31- 1 -2023 ના રોજ વાર્ષિક પ્રદર્શન વિજ્ઞાનમેળાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના વડા સ્વામી કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ તેમજ ટ્રસ્ટી કિશોરભાઇ પાનસુરીયાના વરદ્હસ્તે દિપપ્રાગટ્ય સાથે રીબીન કાપીને કાર્યક્રમને ખુલ્લો મુકતા વાતાવરણ શુભ વિચારોથી ગુંજી ઉઠયું હતું. આ શાનદાર પ્રદર્શનમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીગણ દ્વારા અનેક પ્રકારના અલગ અલગ વિષયો પર અતિ સુંદર પ્રોજેક્ટ્સ, પ્રયોગો તેમજ મોડેલો બનાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને વાલીઓ તેમજ અન્ય સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા નિહાળવામાં આવ્યો હતો. ભવ્ય વૈજ્ઞાનિક પ્રદર્શની નિહાળીને સૌ મંત્રમુગ્ધ બન્યા હતા. શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ દિલથી કરેલી મહેનતને મેનેજમેન્ટ દ્વારા વધાવવામાં આવી હતી.
અહેવાલ: કનુભાઈ ખાચર
0 Comments