વચગાળાનાં જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામનાં કેદીને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

વચગાળાનાં જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામનાં કેદીને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી,જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવ નગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ. ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ.શ્રી આર.વી.ભીમાણી તથા એલ.સી. બી. સ્ટાફનાં માણસોને ભાવનગર,જિલ્લા જેલમાંથી વચગાળાની રજા ઉપર ગયેલ કાચા કામનાં કેદીઓને સમયસર હાજર થવાનાં બદલે ફરાર થઇ ગયેલ હોય.જે કેદીઓને તાત્કાલિક પકડી પાડી ભાવનગર જિલ્લા જેલ ખાતે સોંપી આપવા માટે સખત સુચના આપેલ. આજરોજ તા. ૦૭/૦૧/૨૦૨૦ ના રોજ પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેરનાં અલગ-અલગ વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, ભાવનગર, જિલ્લા જેલનો પાકા કામનો કેદી અને વચગાળાના જામીન-રજા ઉપરથી ફરાર થયેલ આરોપી લાલજીભાઈ કરશનભાઈ ચૌહાણ ઉ.વ.૪૦ રહે.નુતનનગર, મહુવા, જી.ભાવનગર વાળો ભાવનગર નારી ચોકડી ખાતે હોવાની હકીકત મળતા નારી ચોકડીએ તપાસ કરતા હાજર મળી આવતા હસ્તગત કરી ભાવનગર સર.ટી.હોસ્પીટલમાં કોરોના અંગે ટેસ્ટ કરાવતાં જે રીપોર્ટ નેગેટીવ આવતાં ભાવનગર જિલ્લા જેલ ખાતે બાકી રહેતી સજા ભોગવવા સારુ મોકલી આપવામાં આવેલ છે. આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટsર શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એલ.સી. બી. પો.સ.ઇ. એન.જી. જાડેજા સાહેબની તથા પો.સ.ઇ. શ્રી આર.વી.ભીમાણી સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના હેડ કોન્સ. જે.આર. આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.*

Post a Comment

0 Comments